ઝાડ, ઘટાટોપ ઝાડ, તેની વડવાઈઓ, પાંદડાં, ડાળીઓ, મનફાવે તેમ મનફાવે ત્યાં ઊગી નીકળ્યા હોય છે. લગરવગર આકાર વગર બસ આમતેમ ફેલાઈ જાય છે. તેમ છતાં તે પ્રકૃતિ છે માટે સુંદર લાગે છે. વળી કેટલાંક વૃક્ષ જોઇ સાંભરે છે, અલગારી બાવા, બાવાની દાઢી, તે પણ આમજ લગરવગર આકાર વગર બસ આમતેમ ઊગી નીકળી હોય છે. વૃક્ષનો ઘેરાવો જોઇને થાય છે કે તે કેવું સ્વ નું વિસ્તૃતીકરણ કરે છે? તેવીજ રીતે બાવા પણ મફતનું, ધર્માદા ખાઇ ફુલ્યાફલ્યા હોય છે. પરંતુ વૃક્ષ આપણે વળતર મા અનેકવિધ મુલ્યવાન ભેટ આપે છે, જ્યારે બાવા? હા તેઓ પણ આપણે અંધશ્રદ્ધા, પલાયનવાદ અને ધુતાવા રુપી ભેટ આપેજ છે. આવા કહેવાતા વ્યભીચારી સંસાર ત્યાગીઓ પોતાના વિલાસ સબબ ભક્તોની શ્રદ્ધા સાથે ચેડાં કરે છે. બાવા જાત જાત ના ભાત ભાત ના બાવા, ચરસી બાવા, ધુતારા બાવા, ભગવાનના એજન્સી હોલ્ડર હોવાનો દાવો કરતા, ભૂરકીઓ છાંટતા, તંત્ર મંત્ર ના ઓઠાં હેઠળ સમાજને ભ્રષ્ટ કરતા બાવા, લુલા બાવા, લંગડા બાવા, બાવા બાવા બાવા.. દુનિયા બાવાઓથી ઊભરાય છે. બુઠ્ઠાં ને બીનઉપજાઉ જાડ નો તાપણાંમાં તો ખપ રહે છે પરંતુ મફત ખાઇ મદમસ્ત બનેલ બાવા ઉપયોગમાં પણ નથી આવતા અને સમાજનું નીકંદન કાઢે છે. એકજ જીવન મંત્ર છે એમનોઃ "પંછી કરે ન ચાકરી, અજગર કરે ન કામ, દાસ મલુક કહે ગયે સબકે દાતા રામ" માટે જો પરમ કૃપાળુ પરમાત્માએ દાંત આપ્યા છે તો ચાવવા ચવાણું ને મીઠાઈ પણ અવશ્ય આપશેજ!
જેમ વૃક્ષ માત્ર પાણીના વળતરમાં ફળ, લાકડાં, ઔષધ, પ્રાણ વાયુ વગેરે આપે છે તેમ બાવા પણ સમાજના સુધારા અને દિશા દર્શન માટે છે. બાવા સાધુ નથી બની શકતા ત્યારેજ સમસ્યા સર્જાય છે. જો બાવા વૃક્ષ બની જાય તો? કદાચ ગ્લોબલવોર્મીંગની સમસ્યાનું સમાધાન થઇ જાય!!!
-પલ્લવ અંજારીઆ
અલગારી માણસનું ગીત – પલ્લવ અંજારીઆ
-
click on image to read Written on 10.07.2012 Published in Kutchmitra Dainik
Purti “PARAG” on 12-Nov-2014Filed under: Gujarati Poetry
9 વર્ષ પહેલાં
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો